Latest

એક પેડ મા કે નામ’ : રાજ્યપાલના પૌત્ર આર્યમાને દાદીમા અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું

ગાંધીનગર, સંજીવ રાજપૂત; રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પૌત્ર આર્યમાને પણ દાદીમાં અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પરિવારજનો સાથે પ્રાંગણમાં વૈદકશાસ્ત્ર અને આયુર્વેદમાં વિશેષ મહત્વના એવા બીલી ( Aegle marmelos) અને બહેડા ( Terminalia bellirica) ના વૃક્ષ વાવ્યા હતા. રવિવારે સાંજે વરસતા વરસાદમાં વૃક્ષારોપણ કરીને તેમણે દરેક નાગરિકને ઘર આંગણે પરિવારજનો સાથે વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણા સૌના જીવનમાં માનું વિશેષ મહત્વ છે, કારણ કે મા આપણું પાલન-પોષણ કરે છે. ધરતી મા પણ આપણી જન્મદાત્રી મા જેટલું જ આપણું પોષણ કરે છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે વૃક્ષારોપણ કરીએ. ધરતી મા ને રસાયણમુક્ત અને પ્રદૂષણમુક્ત બનાવીએ.  રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સનો બેફામ ઉપયોગ બંધ કરીને આપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીએ એ વર્તમાન સમયની તીવ્ર માંગ છે.

વરસાદની આ મોસમમાં પ્રત્યેક વ્યક્તિ વૃક્ષ વાવે, એટલું જ નહીં તેનું જતન-સંવર્ધન કરે એ જરૂરી છે. ધરતીમા નું ઋણ ચૂકવવા વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જેવા પ્રયાસોને પ્રત્યેક વ્યક્તિએ પ્રોત્સાહન આપવું જોઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *