Latest

36 વર્ષથી સેવાયજ્ઞ: ૧૯૮૭ થી અંબાજી આવતા પદયાત્રીઓને આ મંડળ સેવા પૂરી પાડી રહ્યું છે

અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિવિધ સેવાભાવી સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સુવિધા સાથેની સેવા પૂરી પાડી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.

આવો જ એક સેવાકેમ્પ શ્રી પદયાત્રી સેવા મંડળ વર્ષ ૧૯૮૭ થી અંબાજી આવતા પદયાત્રીઓને સેવા પૂરી પાડી રહ્યું છે. છેલ્લા 36 વર્ષથી શ્રી પદયાત્રી સેવા મંડળનો સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે.

ચાલુ વર્ષે પણ શ્રી પદયાત્રી સેવા મંડળ દ્વારા પદયાત્રીઓને સવારે ચા-નાસ્તો, બપોરે સાત્વિક ભોજન, સાંજે ચા- નાસ્તો અને રાત્રે ભોજન શ્રધ્ધાળુઓને પૂરું પાડવામાં આવે છે. જેનો હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્યશક્તિના આસ્થા રૂપી અવસરમાં સેવાયજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *