Latest

અંબાજી આધ્ય શક્તિ હોસ્પીટલ ખાતે હિપેટાઇટિસ દિવસ ઉજવાયો

28 જુલાઈ એ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે.આજરોજ તા 25.07.24 ના રોજ માનનીય જિલ્લા ક્ષય અધિકારી અને સબનોડલ અધિકારી NVHCP ના ડો.નયન મકવાણા સાહેબના અને દિશા યુનિટ પાલનપુર અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના અધિક્ષક ડો.યજુવેન્દ્ર મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ15 જુલાઈ થી 28 જુલાઈ ને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે

તો આ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી આઈ.સી.ટી.સી. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને ટી.આઈ.પ્રોગ્રામ ચલાવતી વનિતા શિશુ વિહારના સંકલન થી કે.પી બહેનો અને ભાઈઓ સાથે અંબાજી સીવિલ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવેલ

આ કાર્યક્રમ માં હોસ્પિટલ superitendent ડો.યજુવેન્દ્ર મકવાણા સાહેબે તમામ લાભાર્થીઓને હિપેટાઇટિસ એ, બી.અને સી. થવાના કારણો ,તેનું પરીક્ષણ તે અંગે સ્થાનિક લોકો માં જોવા મળતી અપૂરતી માહિતી ના કારણે લોકો હિપેટાઇટિસ ના ટેસ્ટ કરાવતા નથી તો આ અંગે સાહેબે સરળ ભાષામાં તમામ ને માહિતી આપવામાં આવેલ છે.

આ ઉપરોક્ત દિશા યુનિટ ના જિલ્લા સુપરવાઈઝરની વસંતભાઈ લિંબચિયા સાહેબે હિપેટાઇટિસ ના ટેસ્ટ,સારવાર સરકારી માળખા કયા થાય છે અને કોને કોને તે ટેસ્ટ કરવા જોઈએ અને સારવાર ક્યાંથી મળે છે તે અંગે માહિતી આપેલ છે.વનિતા શિશુ વિહારના પ્રોગ્રામ ઓફીસર કિરણભાઈ, ડો રાધે જોશી, કાઉન્સિલર પ્રવીણભાઈ પ્રજાપતિ હાજર રહેલ.આમ હોસ્પિટલ ખાતે હિપેટાઇટિસ બી ના જનજાગૃતિ માટે ઉજવણી અને માર્ગદર્શન કરવામાં આવી.તેમજ ટેસ્ટ પણ કરવામાં આવ્યા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *