Latest

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૂપને સફળતાનાં બે વર્ષ પૂર્ણ

 

સમગ્ર ગુજરાતમાં સમાજમાં એકબીજાને જોડીને પરસ્પર ઉપયોગી થવાની ભાવના સાથે સંપૂર્ણ હકારાત્મક અભિગમ થકી અને સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાષ્ટ્રના નિર્માણના ધ્યેય સાથે વિવિધ સામાજિક,આર્થિક, શૈક્ષણિક,કાયદાકીય,સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ,આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, કોરોના સમયે કોરોના અને વેકસીન જાગૃતિ, ભારે પુરમાં બિનજરૂરી સાહસ ન કરવા બાબતે અને વ્યસન મુક્તિ જેવા અનેક કાર્યક્રમો સતત થતાં જ રહે છે.

અન્ય સમાજમાં પણ એક હકારાત્મક છાપ ધરાવતા આ ગ્રુપને 13 જુલાઈના રોજ સફળતા પૂર્વક બે વર્ષ પૂર્ણ થતાં ચૉતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે ગ્રૂપના એડમીન આર.જે.રામ,સહ એડમીન મથુરભાઈ બલદાણીયા અને સંજયભાઈ છૈયા તથા કોર કમિટી અધ્યક્ષ અને આહીર અગ્રણી ઘનશ્યામભાઈ હેરભા જણાવે છે કે અન્ય સમાજ પણ જો આ રીતે કામ કરે તો સર્વે સમાજના વિકાસ સાથે સશક્ત અને સક્ષમ રાષ્ટ્રનો હેતુ બર આવશે ગ્રુપના સંચાલનમાં સર્વે કોર કમિટી,સર્વે કન્વીનર્સ અને સમાજના લોકો સતત સક્રિય રહી સમાજ સેવા કરી રહ્યા છે..

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *