Latest

અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી હડાદ રોડ પર અંબાજી દર્શન કરી પરત ફરતી વખતે ખાનગી લકઝરી બસને અકસ્માત નડયાની દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં આશરે 25 લોકોના ઘાયલ અને 9 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહયો છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા અંબાજી આવી રહ્યા છે. આ દરમ્યાન અંબાજી હડાદ રોડ પર પોઇન્ટ નંબર 160 ઉપર દુઃખદ ઘટના ઘટી છે આ ઘટના અંગે મળતી.પ્રાથમિક જાણકારી મુજબ નડિયાદ પાસે આવેલ ખણઝરી ગામના લોકો અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગ પર પથ્થર આવી જતા ખાનગી બસે કાબુ ગુમાવતા બસ સામે પથ્થર સાથે ટકરતા આશરે 25 લોકો ઘાયલ થયા છે જ્યારે 9 ની હાલત ગંભીર જણાતા તેઓને તાત્કાલિક 108 દ્વારા પાલનપુર ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના બનતા જ પોલીસ દેવદૂત બની સામે આવી છે અને તેમની ત્વરિત સરાહનીય અને સેવાકીય કામગીરી જોવા મળી છે. આ ઘટના બનતા જ વિસ્તારની આસપાસ ભાદરવી પૂનમના મેળાની ફરજમાં તૈનાત પોલીસ જવાનો તેમજ રૂટ વ્યવસ્થામાં સંચાલન માટે ફરતી પોલીસની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ કર્મીઓએ ઘાયલ લોકોને ગાડીઓમાં નાખી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ રવાના થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *