Latest

અંબાજી મંદિરના દર્શન કરીને પરત ફરતા ભક્તોને કારને અકસ્માત કોઈ જાનહાની નહીં

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

ઘણા ભક્તો પોતાના વાહન દ્વારા અંબાજી આવી રહ્યા છે, ક્યારેક અકસ્માતની ઘટના પણ બનતી હોય છે આવી જ એક અકસ્માતની ઘટના આજે હડાદ પાસે બની હતી. જેમાં કારમાં બેસેલા તમામ લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો.

અમદાવાદના માઈ ભક્તો પોતાની કાર દ્વારા અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને આજે સવારે પરત અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે હડાદ ત્રણ રસ્તા સિમેન્ટ ફેક્ટરી પાસે કાર ચાલકે કાબૂમાવતા કાર રોડ સાઈડ નીચે ઉતરી ગઈ હતી. આસપાસના લોકો બચાવવા માટે આવી ગયા હતા અને કારમાં બેસેલા તમામ લોકોનો બચાવ થયો હતો. વધુ તપાસ હડાદ પોલીસ ચલાવી રહી છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *