Latest

અંબાજીના એક દાતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાની મૂર્તિ વિનામૂલ્યે વિતરણ કરી

 

દશામાના વ્રત 10 દીવસ સુધી ચાલશે ત્યારે લોકો અમાવસ અગાઉ માતાજીની મુર્તિ ઘરે લાવીને માતાજીની સ્થાપના કરે છે.હાલમાં મૂર્તિનો ભાવ વધતા ભક્તોને મૂર્તિ માટે કોઈજ તક્લીફ ન પડે તે માટે હેમંતભાઈ દવે આગળ આવ્યાં છે. મફતમાં દશામાતાની મુર્તીઓ અપાતા વેપારીઓને ફાયદો થાયકે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે. ગુજરાતભર મા દશામાંના વ્રતનો અનેરો મહિમા છે અમાવસ થી 10 દિવસના દશામાના વ્રત રાજ્યભર મા પ્રારંભ થઇ ગયા છે.

આ વ્રત અમાવસ ના દિવસે શરુ થતા હોવાથી વ્રત કરતી બહેનો દશામાંની મૂર્તિ અમાવસ ના પૂર્વેજ લાવી ને તેની પ્રતિષ્ઠા કરે છે અને જયારે ખરીદી કરવાના સમયે પણ દુકાનદાર ને ત્યાં દશામાં ની પૂજા અર્ચના કરી મૂર્તિ પોતાના ઘરે લઇ જાય છે.જોકે આ વખતે વધેલી મોંઘવારીને લઈ અંબાજી ના એક દાતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાંની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી હતી ને સાથે માતાજીનું પૂજાપો પણ નિઃશુલ્ક અપાયો હતો.

જોકે વ્રત કરનારી બહેનો માતાજીની મૂર્તિ મફત માં ન લેતી હોઈ પોતાની ઈચ્છા પ્રમાણેની રકમ ભેટ ધરી હતી અને આ ભેટ માં ધરાયેલી રકમ પણ દાતા હેમંત ભાઈ દવે એ પશુના ઘાસચારા માટે વાપરવામાં આવશે તેમ બિલ્ડર હેમંતભાઈ દવે (મૂર્તિ ના દાતા)અંબાજી એ જણાવ્યું હતું.

જોકે આ વખતે સૌપ્રથમ વખત દશામાંની મૂર્તિ તેમજ પૂજાપો નિઃશુલ્ક વિતરણ કરાયો હોવાથી મૂર્તિ વેચનારા વેપારીઓને વેપારમાં મોટી અસર જોવા મળી હતી.આજની મોંઘવારીમાં લોકો નિઃશુલ્ક મૂર્તિ સાથે જે મોટી સાઈઝ ની મૂર્તિઓ ની પ્રતિષ્ઠા કરવા માંગતા હોય તેવા લોકો બજાર માંથી દશામાં ની મૂર્તિઓ ખરીદી હતી પણ જ્યા મફતમાં મુર્તી મળતી હોવાથી વેપાર ઉપર મોટી અસર પડી છે .

જોકે હાલ તબક્કે દશામાતા ના વ્રત ની આસ્થા વધતા અનેક લોકો દશામાં ની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી દસ દિવસ ના વ્રત કરે છે ને દસમા દિવસે દશામાં ની પ્રતિમાને પાણી માં વિસર્જન કરતા હોય છે ને મફતમાં દશામાતાની મુર્તીઓ અપાતા વેપારીઓને ફાયદો થાયકે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 586

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *