Latest

યાત્રિકોની સુરક્ષાને સલામતીના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ

ઊંચે ટોચ પર રોપ વેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું

રોપ વે ઓથોરિટીની સુરક્ષા અંગેની સતર્કતા અને સલામતીની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા વહીવટદારશ્રી આર કે પટેલ

       આગામી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને અનુલક્ષીને અંબાજી ગબ્બર રોપ વે ઓથોરિટી અને વહીવટીતંત્રના સંકલન દ્વારા ગબ્બર તળેટી ખાતે  મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા સમયમાં દેશનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો યોજાઈ શક્યો નથી ત્યારે ચાલુ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ વખતે કરોડોની સંખ્યામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટવાની સંભાવના છે

ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અંબાજી ગબ્બર રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જેમાં રોપ વે માં ફસાયેલા યાત્રિકોનું સુરક્ષા ટિમ દ્વારા દિલધડક લાઈવ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

        ભાદરવી પૂનમે લાખો કરોડો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પધારતા હોય છે અને ગબ્બર પર્વત પર પણ દર્શનાર્થે જતા હોય છે ત્યારે માનવ મહેરામણની સલામતી અને સુરક્ષા જરૂરી બની જાય છે.આવા સમયે રોપ વે દ્વારા ગબ્બર પર દર્શન કરવા જતાં યાત્રિકો શ્રદ્ધાળુઓ સાથે કોઈ દુર્ઘટના ઘટે તો ગબ્બર રોપ વે ઓથોરિટી યાત્રિકોની સલામતી માટે ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેમનું રેસ્ક્યુ કરી યાત્રિકોનો જીવ બચાવી શકે છે

તેવા હેતુસર આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.મોકડ્રિલ દ્વારા રોપ વેની સાર સંભાળ અને સુરક્ષાના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.સમગ્ર મોક ડ્રિલ ગબ્બર રોપ વેના રેસિડેન્ટ મેનેજર નૈનેશ પટેલના માર્ગદર્શન અને ટેક્નિકલ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.રોપ વે ઓથોરિટી દ્વારા યાત્રિકોની સુરક્ષાના ભાગરૂપે અવારનવાર આવી મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષાની ચકાસણી અને ખાતરી કરવામાં આવતી હોય છે.

  મોકડ્રિલના લાઈવ ડેમોસ્ટ્રેશન વખતે ઉપસ્થિત શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે પટેલ અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિતના વહીવટીઅધિકારીઓએ રોપ વે ઓથોરિટીની સુરક્ષા માટેની સતર્કતા અને કામગીરીને  બિરદાવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

   મોકડ્રિલ પ્રસંગે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુશીલભાઈ પરમાર, ડિઝાસ્ટર ટિમ, ફાયર ટિમ, ફોરેસ્ટ ટિમ, અંબાજી પી આઈ ડી.બી પટેલ સહિતની પોલીસ ટિમ, મેડિકલ ટિમ,લોકલ કોમ્યુનિટીના માણસો ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *