Latest

અમદાવાદમાં સ્કૂલે 50 વર્ષ પૂર્ણ કરતા પર્યાવરણ જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન.

 

અમદાવાદ: અમદાવાદની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષ પૂર્ણ કરતા પર્યાવરણ જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.

: અમદાવાદના નવા વાડજ ખાતે શ્રી સાકળચંદ બાપુજી ટ્રસ્ટ દવારા સંચાલિત કન્યાઓની કેળવણી માટે 1973માં શરૂ કરવામાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતીના ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ જન જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના મધુર દેશભક્તિ ગીતો સાથે લોકોમાં પર્યાવરણની જાળવણી, વૃક્ષો વાવવા અને જતન સાથેના જુદા જુદા આશરે 100 સંદેશ આપતા બેનર સાથે આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓ ઊંટગાડીમાં સવાર થઈ નવા વાડજથી શરૂ થઈ ભીમજીપૂરા અને ત્યારબાદ અખબાર નગર સર્કલ થઈ સ્કૂલ પરત સુધીની 3 કિમીની રેલીમાં જોડાયા હતા અને નિર્ધારિત કરેલ રૂટ પર રેલીને ફેરવવામાં આવી હતી.


આ રેલીને પૂર્વ ગૃહમંત્રી તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ગાંધીનગર લોકસભા સંયોજક ડો હર્ષદભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભમાં રજનીભાઈ પટેલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપના નેતા ઋત્વિક પટેલ, રમત ગમત સેલના સંયોજક તેમજ અસારવા વિધાનસભાના પ્રભારી મનીષભાઈ પટેલ, કોર્પોરેટર જીગ્નેશ પટેલ સહિત ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ સહિત આચાર્ય અંકિતાબેન પટેલ અને દર્શનાબેન પટેલ સહિત ટ્રસ્ટીગણ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ દ્વારા આ રેલી અંગે માહિતી આપી હતી તો ડો હર્ષદભાઈ પટેલ દવારા તેમની ઉપસ્થિત અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આ સ્કૂલના 50 વર્ષ પૂર્ણતાને બિરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *