Latest

અરવલ્લી લોકસભા મતવિસ્તારમાં રેલ્વેના વિસ્તરણ અંગે સાબરકાંઠા સાંસદે કેન્દ્રીય રેલવે મંત્રી સાથે ફળદાયી ચર્ચા કરી હતી.

દિલ્હી, સંજીવ રાજપૂત: સાબરકાંઠા લોકસભા સંસદીય મતવિસ્તારમાં હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી ચાલી રહેલી કામગીરીને 22 કિમી લંબાવી ખેડબ્રહ્માથી હડાદ સુધી જોડવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ ઉદયપુરથી અમદાવાદ સુધીનું વિદ્યુતીકરણ કાર્ય જે લગભગ પૂર્ણ થઈ ગયું છે તેનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે દિલ્હીથી અજમેર, ઉદેપુર, હિંમતનગર અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની વાત કરી હતી.

વધુ મા તેમણે મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, અજમેર, જયપુર અને દિલ્હી માટે નવી સુપર ફાસ્ટ ટ્રેનો શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત અમદાવાદથી હિંમતનગર માટે દરરોજ સવાર-સાંજ નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની વિશદ્ ચર્ચા કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *