Latest

ભાદરવી પૂનમના મેળામાં અમદાવાદના એક માઇ ભક્તે અંબાજી મંદિરમાં 500 ગ્રામ સુવર્ણ દાન કર્યું

લાખો કરોડો શ્રદ્ધાળુઓએ માં અંબાના મંદિરને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનો કર્યો છે મનોરથ

શક્તિપીઠ અંબાજી ખાતે  5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભક્તિમય માહોલમાં યોજાઈ ગયો. મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજીમાં સુવર્ણ દાનનો વિશેષ મહિમા રહેલો છે, માઇભક્તો દ્વારા સુવર્ણદાનનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે.લાખો કરોડો શ્રદ્ધાળુઓએ માં અંબાના ધામને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનો મનોરથ કર્યો છે.

ત્યારે આજે અમદાવાદના એક માઇ ભક્તે 500 ગ્રામ સુવર્ણદાનની ભેટ  માના ચરણોમાં ભેટ ધરી ધન્યતા ની લાગણી અનુભવી હતી. શક્તિપીઠ અંબાજીમાં લાખો માઇભક્તો માનાં ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે અને માના દરબારમાં સોના ચાંદી સહિતની અનેક ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરતા હોય છે.

 આજે ભાદરવી પૂનમને દિવસે માના દર્શનનો વિશેષ મહિમા હોઈ મોટી સંખ્યામાં માનવ   મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યો હતો. જેમાં અમદાવાદના એક માઇભક્તે આજે 500 ગ્રામ સુવર્ણ દાન કર્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *