Latest

વેળાવદરમાં ભંડેરી પરિવાર આયોજિત સમૂહલગ્નની તડામાર તૈયારીઓ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
તાલુકાના ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામમાં ભંડેરી પરિવારના મુખ્ય યજમાનો શ્રી મગનભાઈ ભંડેરી તથા અશોકભાઈ ભંડેરી દ્વારા આયોજન થયેલ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ વેળાવદર ખાતે થઈ રહી છે.

અંગેની આ અંગેની વિગતો આપતા શ્રી ઘનશ્યામભાઈ ભંડેરી તથા શ્રી અશોકભાઈ ભંડેરીએ જણાવ્યું કે વેળાવદર અમારું પૈત્રિક વતન છે અને ગામની દીકરીઓ અને આસપાસની દીકરીઓને પણ કન્યાદાન કરીને વળાવવાનો રૂડો અવસર વેળાવદર ગામજનો તથા આસપાસના લોકોનાં સહયોગથી આગામી 6 નવેમ્બરના રોજ સાંજના 4-30 કલાકે રૂડા લગ્નગીતોથી આરંભ થશે.અત્રે એ બાબત નોંધપાત્ર છે કે ઉપરોક્ત બંને સુરતસ્થિત ઉધોગપતિઓએ પોતાના જ આર્થિક સહયોગથી આ સમગ્ર આયોજન કર્યું છે.

આ સમુહલગ્ન સર્વ જ્ઞાતિની દિકરીઓનો સમાવેશ કરેલ છે.કુલ 32 સમુહલગ્નની જાન તા 6-11-22 ના રોજ સાંજે 4–00 કલાકે આવશે.તમામ દિકરીઓને લગ્નનો કરીયાવર બધો ઉતમ અને ગુણવત્તાયુક્ત આપવામાં આવ્યો છે. 5 એકર વિસ્તારમાં લગ્નનગર ઉભું કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શ્રી ડો.મનસુખભાઈ માંડવિયા કેન્દ્રય મંત્રી તથા શ્રી દિલીપભાઈ સંઘાણી ઇફકો ચેરમેન અને ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી,શ્રી પ્રતાપભાઈ દુધાત વગેરે સહિત અનેક મહાનુભાવો વિશેષ હાજર રહેશે.આ લગ્ન સમારોહને સરધાર સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પ્રયોજક પુ. શ્રી નિત્યસ્વરુપ સ્વામીના રુડાં આશિર્વાદ પ્રાપ્ત થયાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *