Latest

ભાવનગરના ગારિયાધાર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો

ગ્રીન ગુજરાતની વિભાવનાને સાકાર કરતાં કલેક્ટરશ્રીએ મામલતદાર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું

ભાવનગરના ગારિયાધાર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, લોકોને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નોનો નિકાલ કરવાં માટે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાય છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જે તે જિલ્લામાં જઇને લોકોની રજૂઆત સાંભળીને તેનો નિકાલ લાવવાની કાર્યવાહી હાથ ધરે છે.

અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વૃક્ષારોપણની કામગીરી પણ આ સમયગાળામાં વેગવાન બનતી હોય છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પણ ગ્રીન ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતાં ગારીયાધાર મામલતદાર કચેરીના પ્રાંગણમાં તાલુકાના વરિષ્ડ અધિકારીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યમાં તેમની સાથે ગારિયાધાર મામલતદારશ્રી આર.એસ. લાવડિયા,તાલુકા વિકાસ અધિકારીશ્રી સતિષકુમાર અને  ફોરેસ્ટ અધિકારીશ્રી જીજ્ઞાસાબેન પણ જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *