Latest

કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા અંબાજી…..

 

ગુરુજી કી વાટીકા ખાતે સભા સંબોધી માં અંબા ને ધજા ચઢાવી…..

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી ધામમાં અનેક રાજકીય પક્ષોના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે જ્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી સાથે જ માં અંબાના શિખરે ધ્વજારોહનનો કાર્યક્રમ અંબાજી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવ્યો હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અંબાજી પહોંચ્યા હતા. અંબાજી ગુરુજી વાટિકામાં પૂજા અર્ચન કરી સભાને સંબોધી મા અંબાના મંદિરમાં ધજા સાથે પહોંચ્યા હતા અને અંબાજી મંદિરમાં ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.

ચોક્કસથી જો વિગતવાર વાત કરવામાં આવે તો અંબાજીએ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે અંબાજી ખાતે અનેક લોકો માં અંબાના દર્શનાર્થે પહોંચતા હોય છે સાથે જ વિવિધ અધિવેશનો અને રાજકીય પક્ષોના કાર્યક્રમો અંબાજી ખાતે યોજતા હોય છે જ્યારે અંબાજી ખાતે કોંગ્રેસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ અને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો હતો

જેમાં કોંગ્રેસ પક્ષના નેતા ,કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિત વિવિધ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા અંબાજી ગુરુજી વાટિકામાં ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ સભાને સંબોધી કોંગ્રેસ પક્ષના અમિતભાઈ ચાવડા, જગદીશભાઈ ઠાકોર ,ભરતસિંહ સોલંકી ,કાંતિભાઈ ખરાડી, તુષારભાઈ ચૌધરી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા

અંબાજી મંદિરમાં મા અંબાના શિખર પર આ તમામ કોંગ્રેસના વરિષ્ઠ દિગ્ગજ નેતાઓએ ધજા ચઢાવી વિશ્વ કલ્યાણ અને લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવી શકે તેવી માં અંબાના ચરણોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પ્રાર્થના કરી અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવી ધ્વજારોહણ કરીને ધન્યતા અનુભવી હતી…

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 611

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *