Latest

અંબાજી મેળાને અનુલક્ષી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ:103 પશુઓને પકડી ઢોરવાડામાં પુરાયા

અંબાજી, રાકેશ શર્મા: બનાસકાંઠા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. જે. પી. મજીઠીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે અંબાજી મુકામે આગામી તા.23 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ મહામેળો-2023 યોજાનાર છે.

આ મેળામાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે રખડતા ઢોર નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવેલી છે.

કલેકટરશ્રીના આદેશ મુજબ તા.15 સપ્ટેમ્બર-2023 થી અંબાજી તથા આજુબાજુ વિસ્તારના રખડતા પશુઓને પકડીને વાડામાં પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અન્વયે અત્યાર સુધીમાં કુલ- 103 રખડતા પશુઓને પકડી ઢોરવાડામાં પુરવામાં આવ્યા છે. આગામી બે થી ત્રણ દિવસમાં અંબાજી વિસ્તારમાં રખડતાં તમામ પશુઓને પકડીને ઢોરવાડામાં પુરવામાં આવશે.

તેમજ માનવ સલામતીને ધ્યાને લઈ અંબાજી વિસ્તારના રખડતા પશુઓના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવવાનું અભિયાન પશુપાલન ખાતા બનાસકાંઠા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત અંબાજી દ્વારા થયેલ ઠરાવ અનુસાર પકડાયેલ પશુદીઠ રૂપિયા 200 પ્રતિદિન દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો અંબાજી આજુબાજુ વિસ્તારના પશુ માલિકોને જણાવવાનું કે તેમની માલિકીના પશુઓને રખડતા ના છોડવા અનુરોધ કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *