Latest

અંબાજી પાસે થયેલ અકસ્માત દરમ્યાન ઘાયલોના ખબર અંતર પૂછવા તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા જિલ્લા કલેક્ટર

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી હડાદ રોડ ઉપર થયેલ ખાનગી બસના અકસ્માતમાં આશરે 25 ઘાયલ અને 9ની હાલત ગંભીર જોવા મળી છે. અકસ્માત થતા જ ઘાયલ લોકોને તાત્કાલિક પહેલા સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

આ ઘટનાની પ્રાથમિક જાણ જિલ્લા માહિતી વિભાગ ને થતા માહિતી વિભાગની ટીમ પણ અકસ્માત થયેલ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ઘટનાની પૂર્ણ જાણકારી મેળવી હતી.

આ ઘટનાની જાણ જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘાયલ થનાર લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે જિલ્લા એસપી તેજસ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં

જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને જલ્દી તાત્કાલિક સારવાર મળી રહે તે અંગેના પ્રયાસો અને સૂચનો કર્યા હતા આ ઉપરાંત હોસ્પિટલના ડોકટર્સ પાસેથી ઘાયલ લોકો.અંગેની માહિતી મેળવી હતી.

આ ઉઅતિ ગંભીર 9 લોકોને તાત્કાલિક 3 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર પોતે પણ પાલનપુર જવા રવાના થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *