Latest

અંબાજી પાસે થયેલ અકસ્માત દરમ્યાન ઘાયલોના ખબર અંતર પૂછવા તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા જિલ્લા કલેક્ટર

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી હડાદ રોડ ઉપર થયેલ ખાનગી બસના અકસ્માતમાં આશરે 25 ઘાયલ અને 9ની હાલત ગંભીર જોવા મળી છે. અકસ્માત થતા જ ઘાયલ લોકોને તાત્કાલિક પહેલા સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

આ ઘટનાની પ્રાથમિક જાણ જિલ્લા માહિતી વિભાગ ને થતા માહિતી વિભાગની ટીમ પણ અકસ્માત થયેલ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ઘટનાની પૂર્ણ જાણકારી મેળવી હતી.

આ ઘટનાની જાણ જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘાયલ થનાર લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે જિલ્લા એસપી તેજસ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં

જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને જલ્દી તાત્કાલિક સારવાર મળી રહે તે અંગેના પ્રયાસો અને સૂચનો કર્યા હતા આ ઉપરાંત હોસ્પિટલના ડોકટર્સ પાસેથી ઘાયલ લોકો.અંગેની માહિતી મેળવી હતી.

આ ઉઅતિ ગંભીર 9 લોકોને તાત્કાલિક 3 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર પોતે પણ પાલનપુર જવા રવાના થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *