Latest

જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ:
પંચમહાલ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) ના સહયોગથી યોજાયેલ આ સેમિનારનો મુખ્ય વિષય “બાગાયત ક્ષેત્રના વિકાસ અને નિકાસ સંભાવનાઓ” હતો.

આ કાર્યક્રમ જાંબુઘોડા સ્થિત ‘સેન્ટર ઓફ એક્સીલેન્સ ઓફ હોર્ટિકલ્ચર’ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સેમિનારમાં ખેડૂતો અને ઉદ્યોગકારોને ફળ, ફૂલ અને શાકભાજીના પાકોની ગુણવત્તા જાળવવા, આંતરરાષ્ટ્રીય બજાર માટે પેકિંગ અને માર્કેટ લિંકેજ અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે APEDA માંથી સુબોધ શાહ અને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCA)ના દિપક કોઠાણી વિશેષ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિકાસની પ્રક્રિયા, ગુણવત્તા પ્રમાણપત્રો અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *