Latest

ગબ્બર પરિક્રમા પર્વ પૂર્ણ થયો, વહીવટ દ્વારા પૂર્ણાહુતિ કરાઇ


રિપોર્ટ….અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી એટલે સાક્ષાત માં અંબા નું મૂળ સ્થાન માં અંબા જ્યાં ખબર પર્વતે બિરાજમાન છે ગબ્બર પર્વતની તળેટીમાં 12 તારીખથી 17 તારીખ સુધી ગબ્બર પરિક્રમા પર્વ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ નેતાઓ વિવિધ કલાકારો અને વિવિધ વીઆઈપી લોકો છ દિવસમાં અલગ અલગ હાજર રહ્યા હતા.

અંબાજી અને ગબ્બર ખાતે મોટા મહામેળા જેવું આયોજન જોવા મળ્યું હતું જેમાં એસટી વિભાગની કામગીરી સુંદર રહી હતી, અંબાજી મંદિર ટ્રસ્ટની કામગીરી પણ સુંદર રહી હતી. ગબ્બર પરિક્રમા પર્વમાં છ દિવસમાં 3.30 લાખ કરતાં વધુ ભક્તો ઉમટ્યા હતા. ગબ્બર પરિક્રમા પર્વ 17 તારીખના રોજ સાંજે ગબ્બર તળેટીમાં વહીવટદાર સિદ્ધિ વર્મા દ્વારા આર્થિક કરીને પરિક્રમા પર્વની પુર્ણાથી કરવામાં આવી હતી. અંબાજી પીઆઈ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *