Latest

ગાંધી જયંતિ પૂર્વે વલ્લભીપુર શહેરમાં સ્વચ્છતા અભિયાન શપથ લેવામાં આવ્યા હતા

ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ પખવાડિયા અંતર્ગત વલ્લભીપુર નગરપાલિકા દ્વારા 1લી ઓક્ટોબરે શહેરમાં આવેલ ચમારડી દરવાજા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરાઈ , 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીને જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણી કરવામાં આવે છે.

તેથી આ દિવસને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. 15 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર સુધી સંયુક્ત રીતે ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે,

આ સ્વચ્છતા મિશનમાં વલ્લભીપુર નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કાંબડ, વલ્લભીપુર પોલીસ psi પીડીઝાલા ,મામલતદાર બી એન કંઝરિય નગરસેવકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવ્યું હતું.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *