Latest

ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગએ રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ‘નશામુક્ત ગુજરાત’ અંગે ગર્ગ સાથે ગહન ચિંતન કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૂચવ્યું કે, સમાજમાં નશામુક્તિની જાગૃતિ માટે જે લોકોએ નશામાંથી બહાર આવીને આદર્શ પ્રસ્થાપિત કર્યું છે, તેમને સમાજ સામે લાવી લોકોમાં જાગૃતતા ફેલાવવા પ્રયત્ન કરવા જોઈએ. આ ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, કલાકારો, અભિનેતાઓ, લોકકલાકારો, ધર્મગુરુઓ જેવા સમાજ પર વિશેષ પ્રભાવ પાડતા લોકોએ પણ નશામુક્ત અભિયાનમાં સહભાગી થવું જોઈએ.

રાજ્યપાલએ વધુમાં કહ્યું કે, રાજ્યની યુવા પેઢી બરબાદ ના થાય તે માટે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે વિચાર-વિમર્શ કરી યુવા પેઢીને નશામુક્ત બનાવવા સઘન પ્રયાસ કરવામાં આવશે.

નશીલા પદાર્થોનું સેવન કરતા યુવાનો પરિવાર, સમાજ અને દેશ માટે બિનઉપયોગી બનતા જાય છે, માટે યુવા પેઢીને પરિવાર, સમાજ અને દેશહિતાર્થે નશાનો ત્યાગ કરવા રાજ્યપાલએ અપીલ કરી છે.

આ તકે અનુરાગ ગર્ગએ રાજ્યપાલને વિનંતી સહ જણાવ્યું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવતા કેસ અંતર્ગત ત્વરિત સજા ફટકારવામાં આવે તે માટે રાજ્ય સ્તરે અમદાવાદ ખાતે ડેજીગ્નેટેડ કોર્ટ શરૂ કરવામાં આવે, તો નશાનો વ્યાપાર કરનાર વ્યક્તિને ઝડપી સજા આપી શકાય તેમ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું

ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 596

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *