Latest

ગુજરાત રાજ્ય – રાજકોટ મહાનગરમાંથી પધારેલા સામાજિક કાર્યકર ડો. મહેશભાઈ રાજપુતજીનું સન્માન કરાયું.

પં. દીનદયાળ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠ દ્વારા આયોજિત વિદ્યા વાચસ્પતિ સારસ્વત સન્માન સમારોહ

નવી દિલ્હી તા.૨૮/૦૧/૨૦૨૪ના રોજ પં. દીનદયાળ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠ દ્વારા પ્રસિદ્ધ કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય હિન્દી સેમિનાર અને વિદ્યા વાચસ્પતિ સારસ્વત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠ, જે હિન્દી અને સ્થાનિક ભાષાઓના પ્રચાર માટે રાષ્ટ્રીય સ્તરે પ્રયાસ કરી રહી છે, આજે ૨૮ જાન્યુઆરીના રોજ કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ પ્રદેશોના વિદ્વાનોને “વિદ્યા વાચસ્પતિ”ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહના મુખ્ય મહેમાન પદ્મશ્રી ડો.અરવિંદ કુમાર (રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ) અધ્યક્ષ પદે રાષ્ટ્રીય કથાકાર સુ.શ્રી દીપા મિશ્રા અને અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય પર્યાવરણવિદ ડો.વિશ્વનાથ પાણિગ્રહીજી પધાર્યા હતા. દુર્ગ યુનિવર્સિટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ડૉ.કિરણ બોંગાલે અને કેરળ વિદ્યાપીઠના પ્રતિનિધિ શ્રી શ્રીકુમાર એન. ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યના રાજકોટ શહેરના ડો.મહેશભાઈ રાજપૂત કે જેઓ સામાજિક કાર્યકર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે તેમજ દેશના જાણીતા શિક્ષણવિદો, લેખકો, શિક્ષકો, સાહિત્યકારો, પર્યાવરણવિદો અને અન્ય વિદ્વાનોએ હિન્દી ભાષા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

પં. દીનદયાલ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠનું આ વિશેષ સન્માન મહેમાનો દ્વારા મંચ પરથી હિન્દી લેખન, શિક્ષણ ઉત્થાન, પર્યાવરણ જાગૃતિ, તબીબી સેવા, જળ સંરક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓના આધારે આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય પં.જાનકી બલ્લભ શાસ્ત્રીએ કર્યું હતું અને આભારવિધિ પ્રદીપ શર્માએ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *