Latest

વલ્લભીપુર તાલુકાના ટી.એલ.એમ. ગુરુમાતાને આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત

વલ્લભીપુર તા.૨૨
બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ સમાજસેવી અને વિશિષ્ટ શિક્ષક સન્માન કાર્યક્રમ ૧૮-૧૯ ફેબ્રુઆરીનાં રોજ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં વિવિધ રાજ્યોના 118 જેટલા શિક્ષકો અને સમાજસેવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં શ્રી હરિ ઓમ કન્યા પ્રાથમિક શાળાના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા ટીચર લીલાબેન ઠાકરડાને વિશિષ્ટ કાર્ય બદલ પ્રતિષ્ઠાન દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ટીચર્સ એવોર્ડ 2023 એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

લીલાબેન ઠાકરડાએ ચિત્રકૂટ એવોર્ડમાં મળેલ રકમ પણ દાનમાં આપેલ છે. લીલાબેન દ્વારા બાળકોને પ્રવૃત્તિ સભર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કચ્છના મહારાણી આરતી કુમારી જાડેજા, પ્રથમ કુલપતિ કાન્તિ ગોર, કચ્છ ડાયેટના પ્રચાર્ય સંજયભાઈ ઠાકર, પ્રદીપતાનંદજી, પદ્મશ્રી નારાયણ જોશી, પેરિસના નિવૃત્ત શિક્ષક ક્રિસ્ટોફર ફ્રાન્સનથી સારાએદા ઉપસ્થિત રહ્યા હતા.

બાલ રક્ષક પ્રતિષ્ઠા એ મહારાષ્ટ્રની અને ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા પ્રમાણિત સંસ્થા છે જે દેશના વિવિધ રાજ્યોમાં ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળા સુધી પહોંચાડવાના અસરકારક પ્રયત્નો કરે છે અને સાથે સાથે શિક્ષણમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરે છે.

અહેવાલ ધમૅન્દ્રસિંહ વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *