Latest

મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આપણી ભારતીય સંસ્કૃતિમાં અર્વાચીન કાળથી ગુરુનું વિશેષ મહત્વ રહેલું છે અને તે સંસ્કૃતિનાં જતન હેતુ દર વર્ષે ગુરુપૂર્ણિમાનાં પર્વની ઉજવણી પુરા ભારત વર્ષમાં થતી હોય છે અને તેનાજ ઉપક્રમે મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે શાળામાં ઉપસ્થિત તમામ ગુરુજનોનું કુમકુમ તિલક કરી પર્યાવરણનાં જતન હેતુ રોપાઓ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પર્વ પર ગુરુનાં મહિમા ગાતા શ્લોક ગાન , ગુરુ પૂર્ણિમા પર વક્તવ્ય, તેમજ સુંદર નાટક શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખ બિપીનભાઈ આર શાહ તેમજ સેક્રેટરી નિખિલભાઈ શાહ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી ગુરુપૂર્ણિમાની સૌ ગુરુજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુરુનાં મહિમાનાં દર્શન કરાવ્યા હતા. શાળાનાં કેમ્પસ ડાયરેકર જે.પી. ઉપાધ્યાય તેમજ શાળાના આચાર્યશ્રી કુંદન સિંહ જોદ્ધા ગુરુપૂર્ણિમા પર્વની શુભેચ્છા આપી સૌને શુભકામનાઓ પાઠવી હતી અને આ પર્વને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *