Latest

હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી

જામનગર, સંજીવ રાજપૂત: દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ભગવાન હનુમાનજીના મંદિરે ભક્તોની ભીડ જામી ત્યારે જામનગરની સત્યસાઈ નગર સોસાયટીના રહીશો દ્વારા બાળકોને સોસાયટીમાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિરની પાછળ આવેલ કોમન પ્લોટમાં બટુકભોજનનું આયોજન કરી હનુમાન જયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે હનુમાન દાદાની પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી શુભ શરૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત બાળકોને શાક, ગાંઠિયા, બુંદી છાસ નો ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો જેનો સોસાયટીના બાળકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.

અત્રે જણાવવામાં આવે છે કે આવનાર ટૂંક સમયમાં આ જ જગ્યા ઉપર ભગવાન હનુમાન દાદાના મંદિરનું પણ ભવ્ય નિર્માણ થનાર છે જે આ સોસાયટીના પ્રગતિમાં એક નવું મોરપીંછ ઉમેરાશે.

આ પ્રસંગે સોસાયટીના આગેવાનો સહિત રહીશો, યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને બટુકભોજન કરાવી આ હનુમાન જયંતીના ઉત્સવની ઉજવણી કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *