Latest

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને રવીવારના રોજ ચારણ સંત મહત્મા ઈશરદાસજીના નિર્વાણદિન નિમિતે ઈશર નોમની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે સવારે ૬–૪પ કલાકે મંગળા આરતી તથા બપોરે ૧ર કલાકે રામજન્મ આરતી તથા સાંજે ૭ કલાકે સંધ્યા આરતી યોજાશે તેમજ બપોરે ૧ર–૩૦ અને રાત્રે ૮ કલાકે ભાવીકો માટે ભોજન–મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જેનો ખર્ચ દાતા નિતીનદાન અમીરદાન ઈસરાણી(ધુનાના ગામ) તરફથી આપવામાં આવેલ છે. તેમજ બપોરે ૩–૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે. અને સાંજે ૪ કલાકે નુતન ધ્વજારોહણ તથા હરીરસના પાઠ રાખવામાં આવ્યા છે. ઉપરાંત રાત્રે ૧૦ કલાકે સૌરાષ્ટ્ર–ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો બ્રિજરાજદાન ગઢવી, હકાભા ગઢવી, હરેશદાન સુરૂ, યુવરાજદાન ગઢવી, રાજેન્દ્રદાન ગઢવી, સાગરદાન ગઢવી, પ્રદિપદાન ગઢવી, અભીષેક ગઢવી અને અનવરભાઈ મીર વિગેરેનો ભજન–લોક સાહિત્ય સહિતનો કાર્યક્રમ યોજાનાર હોય તો સર્વે ભાવીકોએ ઉપસ્થિત રહેવા ઈશરધામ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ

સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…

ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ

સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…

1 of 594

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *