Latest

જામનગર કલેકટરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો

જામનગર: અત્યારે રાજ્યસ્તરે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા પર ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગર કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 11 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ જાતે જ ઉપસ્થિત રહયા હતા. તેમજ અરજદારોને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ મામલતદાર હિતેન રામાવત, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *