Latest

જામનગર સખી વન સ્ટોપ સેન્ટરે નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેનને સુરક્ષિત આશ્રય અપાવ્યું

જામનગર: એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ મહિલા માટે જામનગરનું સખી વન સ્ટોપ સેન્ટર સુરક્ષિત આશ્રયસ્થાન અપાવી મદદરૂપ બન્યું છે.વિગત મુજબ એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેન જામનગરના એસ.ટી. રોડ પરથી એક જાગૃત નાગરિકને મળી આવેલ.

બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જાગૃત નાગરિક દ્વારા બહેનને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરને જાણ કરેલ. અને જાણવા મળેલ કે આશરે ૪૪ વર્ષના બહેન ઘણા સમયથી ફૂટપાથ પર એકલા રહી રખડતું-ભટકતું જીવન જીવી રહ્યા છે. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા કાઉન્સેલીંગ કરતા બહેને જણાવેલ કે બહેનને સંતાનમાં ચાર બાળકો છે જે બહેનને સાથે રાખતા ન હોય અને બહેનના ઘણા સમય પહેલા છૂટાછેડા થઇ ગયેલ છે.

ત્યારબાદ બહેનને સેન્ટર દ્વારા સાનુકુળ વાતાવરણ આપવામાં આવેલ. તેમજ સેન્ટર દ્વારા આપવામાં આવતી સહાયો વિશે પરિચિત કરી રખડતું-ભટકતું જીવન જીવવું યોગ્ય નથી તે બાબતની સમજ આપેલ.સેન્ટર દ્વારા બહેનને વિશ્વાસ અપાવેલ કે બહેનને રેહવાની વ્યવસ્થા કરી આપશું.

ત્યાર બાદ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા વિવિધ મનોરોગી સંસ્થાઓનો સંપર્ક કરેલ જેમાં જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામે આવેલ શ્રી દેવંગી આશ્રમ, નકલંગ ધામે તૈયારી દર્શાવવતા બહેનને કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા અને કેસ વર્કર અસ્મિતાબેન સાદીયા દ્વારા જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામ ખાતે આવેલ શ્રી દેવંગી આશ્રમ, નકલંગ ધામ ખાતે આશ્રય અપાવેલ.આશ્રયસ્થાનની વ્યવસ્થા બદલ બહેને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યકત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *