Latest

લોએજ ગામના આંગણે જોટવા પરિવારના યજમાન પદે પ્રથમ બીજ ઉત્સવ હર્ષઉલ્લાસ સાથે ઉજવ્યો

ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો

અનેક રાજકીય,સામાજિક અને પત્રકારત્વ જગત ના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો એ હાજરી આપી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામ ધાર્મિક પ્રવુતિઓ સાથે અતૂટ નાતો ધરાવતું ગામ છે વારંવાર અનેક ધાર્મિક કાર્યક્રમો ના આયોજન આ ધરા પર જોવા મળે છે ત્યારે રામદેવપીર મહારાજના મંડપ યજ્ઞ ની દોરી રહીજ ગામથી લઇ આવતા તેની બાર બીજના ઉત્સવ માથી પ્રથમ બીજ ઉત્સવ તારીખ 8મી જૂનના રોજ દોરી સ્થળ પર હર્ષઉલ્લાસ સાથે યોજાયો હતો

જેમા બપોર બાદ દોરી સ્થળ થી ડીજે ના તાલે સામૈયાનુ આયોજન કરાયું હતુ જેમા લોએજ ગામના તમામ મંદિરો એ દર્શનાર્થે પગપાળા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા

તો સાંજના સમયે સમગ્ર લોએજ ગામ અને નિમંત્રિત મહેમાનો ભોજન પ્રસાદ લીધો હતો તો રામદેવપીર મહારાજ ના પાઠ દર્શન પણ યોજાયા હતા રાત્રીના સમયે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયું હતુ જેમા ભજન અને લોકગીત ની રમઝટ પૂજાબા ચૌહાણ,દિવ્યેશ જેઠવા અને જગદીશ મેર જેવા નામાંકિત કલાકારોએ બોલાવી લોકોને પોતાની કલાથી મંત્રમુગ્ધ કર્યા હતા

આ તકે જોટવા પરીવાર ના નિમંત્રણને માન આપી અમરેલી, ગીરસોમનાથ,જૂનાગઢ થી અનેક સામાજિક,રાજકીય અને પત્રકારત્વ સાથે જોડાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી તો આ સમગ્ર ધાર્મિક ઉત્સવ માં સમગ્ર લોએજ ગામ જોડાયું હતુ આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન સ્વઃ પુરીબેન રાણાભાઇ જોટવા પરીવાર ના કિરીટભાઈ જોટવા,હસીતભાઈ જોટવા,નયનભાઈ જોટવા ના યજમાન પદે રામદેવપીર યુવા ગ્રુપ અને લોએજ ગામ સમસ્ત કરવામાં આવ્યુ હતુ જેમા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો આ તકે સમગ્ર કાર્યક્રમમાં દૂર દૂર થી ઉપસ્થિત થનાર મહેમાનો અને કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપનાર યુવાઓ, વડીલોનો જોટવા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સીમા યોગ:- ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થાપિત

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ…

જામનગર બન્યું યોગમય: જિલ્લામાં કૃષિમંત્રી, કલેક્ટર અને એસપીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

જામનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ…

1 of 545

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *