Latest

ઉમરાળા કન્યા શાળામાં 21 સપ્ટેમ્બર “વિશ્વ શાંતિ દિવસ વકૃત્વ સ્પર્ધા દ્વારા ઉજવવામાં આવ્યો

તારીખ 21/9 /2023 ના રોજ ભાવનગર જીલ્લા ઉમરાળા તાલુકા મથક સ્થિત ઉમરાળા કે. વ. શાળા નંબર -2(કન્યા શાળા) માં 21 સપ્ટેમ્બર “વિશ્વ શાંતિ” દિવસ વકૃત્વ સ્પર્ધા દ્વારા ઉજવવામાં આવ્યો આ દિવસ તમામ દેશો અને લોકોમાં સ્વતંત્રતા, શાંતિ અને ખુશી નો આદર્શ માનવામાં આવે છે.

આ દિવસની ઉજવણી સામાજિક વિજ્ઞાન શિક્ષક વિજયસિંહ એમ. ચૌહાણ દ્વારા શાળામાં વકૃત્વ સ્પર્ધાના આયોજન દ્વારા કરવામાં આવી જેમાં વિશ્વના શાંતિદુતો ગાંધીજી, દલાઈ લામા, નેલ્સન મંડેલા ,મધર ટેરેસા, માર્ટીન લ્યુથર કિંગ, સેન્ટ જહોન પોલ-2 જેવા વિશ્વ શાંતિ ચાહકો ના જીવન પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.

પ્રથમ ક્રમાંક મારું કિંજલબેન જેમને ગાંધીજી વિશે,દ્વિતીય નંબર-મહેતર માહીનુર બેન નેલ્સન મંડેલા વિશે અને તૃતીય નંબર જમોડ અંતરાબેન માર્ટીન લુથર કિંગ અંગે સચોટ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આચાર્ય નીતાબેન વેલાણીએ શિક્ષક વિજયસિંહ એમ. ચૌહાણ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *