Latest

સમસ્ત અંબાજી કુંભારીયા રબારી સમાજે જન્માષ્ટમીના દિવસે તળાવ પૂજન કર્યુ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. હાલમા ચોમાસાની ઋતુ ચાલી રહી છે, પરંતુ વરસાદ છેલ્લા કેટલાય સમયથી ન આવતા ધરતીપુત્રો અને લોકોને ભારે તકલીફ પડી રહી છે, ત્યારે સોમવારના દિવસે કોટેશ્વર ખાતે આદિવાસી ભાઈઓ દ્વારા મહાદેવને પાણીમાં ડુબાડવામાં આવ્યા હતા અને વરૂણદેવને રીઝવવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ત્યારબાદ જન્માષ્ટમીના દિવસે કે જે ગોકુળ આઠમ તરીકે ઓળખાય છે આ દિવસે સમસ્ત અંબાજી કુંભારિયા રબારી સમાજના લોકોએ તળાવ પૂજન કર્યું હતું.

ગોકુળ આઠમના દિવસે અંબાજી – કુંભારીયા આસપાસના રબારી સમાજે તળાવ પૂજન કર્યું હતુ.ગોકુળ આઠમના દિવસે આ વિધિ સતયુગ અને પાંડવો યુગથી ચાલતી આવી છે.દાંતા રોડ પર તળાવને ધર્મનાડી તરીકે રબારી સમાજ ઓળખે છે.

ધર્મનાડી પૂજવાનો વર્ષો જુનો રિવાજ છે.મોટી સંખ્યામાં રબારી સમાજ તળાવ કાંઠે એકઠો થયો.રબારી સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા તળાવ પૂજન કરવામાં આવ્યું.તળાવમાં શાસ્ત્રોકત વિધિ વિધાનથી પૂજન કરાયું હતુ. તળાવમાં માળા પણ મૂકવામાં આવી હતી અને વધામણા કરવામાં આવ્યા હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *