Latest

રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…

એબીએનએસ, રાધનપુર :. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગર પાલિકા ની નિષ્ક્રિય કામગીરી ને લઈને શહેરમાં ગંદકી નું ભરપૂર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરમાં અનેક જગ્યાએ સાફ સફાઈ થી લઈને ગટર વ્યવસ્થા ને લઈને અનેક પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે.

ત્યારે તાજેતરમાંજ રાધનપુર લાટી બજારના વેપારીઓ નગરપાલિકાની સાફ સફાઇ કામગીરીથી નારાજ થઇ ગંદકી દૂર કરાવવા વેપારીઓ દ્વારા નગરપાલિકાને મામતલદાર સમક્ષ લેખિતમાં સફાઈ કરાવવાની માંગ કરી હતી.

રાધનપુર શહેર ખાતે આવેલ લાટી બજારના વેપારી મણિલાલભાઈ પંચાલ દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી લાટી બજારમાં ગટરની સમસ્યા છે. સફાઈની કામગીરી થતી નથી. સ્ટ્રીટ લાઇટ બંધ છે તેવી સમસ્યાઓને લઈને લેખિત અરજી કરવામાં આવી હતી.

નગરપાલિકાની ટીમ દ્વારા સફાઈની કામગીરી ન કરવામાં આવતી હોઇ વેપારીઓની દુકાનો પાસે કચરાના ઢગલા પડ્યા હોઇ ગટરના ગંદા પાણી વહેતા થયાં છે.જેને લઈને વેપારીઓ મા ભારે રોષ વ્યાપ્યો છે.

મહત્વનું છે કે વેપારી દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી નથી કે કોઈ ગટરની કામગીરી પણ કરાતી નથી. નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે વેપારીઓમાં નારાજગી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં આજદિન પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી નથી: વેપારી

રાધનપુર શહેર ખાતે આવેલ લાટી બજારના વેપારી મણિલાલભાઈ પંચાલ ના જણાવ્યા પ્રમાણે અમો દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી રજુઆત સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઈટ સહિત ગટરના પ્રશ્ન અંગે લેખિત રજૂઆત કરી છે

પરંતુ આજદિન સુધીમાં કોઈજ પ્રકાર ની કામગીરી કરવામાં આવી નથી.અહીંયા આ ધર્ વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તેમજ સ્ટ્રીટ લાઈટો બંધ છે તેમજ ગટર વ્યવસ્થા ને લઈને અનેક સમસ્યાઓ છે.જૅ બાબતે રાધનપુર નગરપાલિકા માં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. પરંતુ કામગીરી કરવામાં આવી નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *