Latest

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો…

રાધનપુર, અનિલ રામાનુજ એબીએનએસ: રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાના કારણે ગ્રાહકોને સીધા ગેસ એજન્સી પર જવું પડી રહ્યું છે, જેના કારણે નૈમિષ ગેસ એજન્સી ખાતે દિવસભર ભીડ અને ગેરવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છેલ્લા 2 દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે અનેક ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચતા લાંબી લાઈનો લાગી ગઈ હતી.

સવારથી જ મોટી સંખ્યામાં લોકો નૈમિષ ગેસ એજન્સી ખાતે ઉમટી પડતા ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને રોજગારી ધરાવતા લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા ગ્રાહકોના જણાવ્યા મુજબ, માત્ર એક સિલિન્ડર મેળવવા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવી પડી રહી છે.

ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી તરફથી વારંવાર “સર્વર ડાઉન છે” એવી વાત કહીને જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે સામાન્ય જનતાને અનાવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા સ્વીકાર્ય નથી. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ હોવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં ગ્રાહકોને વારંવાર એજન્સીના ચક્કર લગાવવા પડે છે.

શહેરના નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં સરળતા થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ એજન્સી ખાતે યોગ્ય વ્યવસ્થા અને પારદર્શિતા રાખવા માટે પણ માંગ ઉઠી રહી છે.

તો બીજી તરફ નૈમિષ ગેસ એજન્સી દ્વારા અગત્યની સૂચના તરીકે જણાવવામાં આવ્યું છે કે – કંપનીના નિયમ અનુસાર છેલ્લી રીફીલ ડિલિવરી લીધાના 25 પચીશ દિવસ પછીજ નવું બિલ બનશે. તેમજ વહેલું બુકીંગ થયેલ હોવા છતાં બિલ બનશે નહીં તો કંપનીના નવા નિયમ અનુસાર રીફીલ મળશે.આ બાબતે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર કરવી નહીં તેવું એજન્સીમાં બોર્ડમાં એજન્સી દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *