Latest

અમદાવાદમાં 23-24 સપ્ટે.ના રોજ મહાન સમાજ સંરક્ષક ગુરુ શ્રીમંત શંકરદેવજીના જન્મજ્યંતીની ઉજવણી કરાશે.

અમદાવાદ, સંજીવ રાજપૂત: આપણા બધાના આદરણીય ગુરુ શ્રીમંત શંકરદેવજી ઉત્તર-પૂર્વ ભારતના મહાન સમાજ સંરક્ષક, સંસ્કારક તથા 15મી અને 16મી સદીના સમગ્ર ભારતના ઐકયભાવ અને સમાનતાવાદી સમાજ ઉત્થાનના કલ્યાણકારી સુધારક હતા. તેઓએ જૂની પુરાણી રૂઢિ પરંપરાઓને તોડીને સુધારાવાદી, ઉત્તમ અને ઉમદા સમાનતાવાદી વિચારસરણીનો સમસ્ત દેશભરમાં પ્રચાર પ્રસાર કરેલ હતો.

શ્રીમંત શંકરદેવજી મહારાજની જન્મજ્યંતી આસામના દરેક ગામમાં સમાનતા, સમર્પણ, આનંદ ઉત્સાહ સાથે પ્રેમ પૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે.

આ મહાપુરુષનો જન્મ 1449ની સાલમાં આસો મહિનામાં થયો હતો. જેથી ભારતમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આ મહાપુરુષનો 575મો જન્મદિવસ મહોત્સવ ઓ.એન.જી.સી. પરિવાર ગુજરાત દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર,2023 – શનિવાર અને 24 સપ્ટેમ્બર,2023 – રવિવારના રોજ સવારથી સાંજ સુધી ઓ.એન.જી.સી ઓફિસર્સ ક્લબ, ચાંદખેડા અમદાવાદમાં ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 23 સપ્ટેમ્બરેના રોજ સહભાગી થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *