Latest

અમદાવાદમાં 23-24 સપ્ટે.ના રોજ મહાન સમાજ સંરક્ષક ગુરુ શ્રીમંત શંકરદેવજીના જન્મજ્યંતીની ઉજવણી કરાશે.

અમદાવાદ, સંજીવ રાજપૂત: આપણા બધાના આદરણીય ગુરુ શ્રીમંત શંકરદેવજી ઉત્તર-પૂર્વ ભારતના મહાન સમાજ સંરક્ષક, સંસ્કારક તથા 15મી અને 16મી સદીના સમગ્ર ભારતના ઐકયભાવ અને સમાનતાવાદી સમાજ ઉત્થાનના કલ્યાણકારી સુધારક હતા. તેઓએ જૂની પુરાણી રૂઢિ પરંપરાઓને તોડીને સુધારાવાદી, ઉત્તમ અને ઉમદા સમાનતાવાદી વિચારસરણીનો સમસ્ત દેશભરમાં પ્રચાર પ્રસાર કરેલ હતો.

શ્રીમંત શંકરદેવજી મહારાજની જન્મજ્યંતી આસામના દરેક ગામમાં સમાનતા, સમર્પણ, આનંદ ઉત્સાહ સાથે પ્રેમ પૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે.

આ મહાપુરુષનો જન્મ 1449ની સાલમાં આસો મહિનામાં થયો હતો. જેથી ભારતમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આ મહાપુરુષનો 575મો જન્મદિવસ મહોત્સવ ઓ.એન.જી.સી. પરિવાર ગુજરાત દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર,2023 – શનિવાર અને 24 સપ્ટેમ્બર,2023 – રવિવારના રોજ સવારથી સાંજ સુધી ઓ.એન.જી.સી ઓફિસર્સ ક્લબ, ચાંદખેડા અમદાવાદમાં ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 23 સપ્ટેમ્બરેના રોજ સહભાગી થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *