Latest

ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: હાલમાં દિવાળીના તહેવારના તુરંત જ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી હસ્‍તકની સેનીટેશન શાખામાં ફરજ બજાવતા કાયમી ૮૮ સફાઈ કામદારો પૈકી કુલ ૨૭ સફાઈ કામદારોને ઉપલી કેડર મુકાદમમાં આજ તા.૧૩/૧૧/૨૦૨૪ના રોજ બઢતી આપવામાં આવી. મેયર સહિના પદાધિકારીઓ દ્વારા પ્રમોશન મેળવેલા કર્મચારીઓને બઢતીના પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં એકતરફ નવી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વર્ગ- ૧ થી લઈને વર્ગ-૩ના વિવિધ સંવર્ગની પરીક્ષાઓના આયોજન થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં નિમણૂંક થવાની છે. ત્યારે કચેરીમાં ફરજ બજાવતા અને બઢતીને પાત્રતા ધરાવતા કર્મચારીઓને શક્ય એટલા વહેલા પ્રમોશન મળે તે માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં સફાઈને લગતી પાયારૂપ કામગીરી બજાવતા ૨૭ જેટલા સફાઈ કામદારોને પ્રમોશન આપવા માટે મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ, સેનિટેશન કમિટીના ચેરમેન અંકિત બારોટ અને મહેકમ સમિતિના ચેરમેન જશપાલસિંહ બિહોલા દ્વારા પરામર્શ કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ મંજૂરી આપવામાં આવતા આ કર્મચારીઓને મુકાદમ સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *