Latest

અંબાજી માન સરોવરમાં સમી પૂજા કરવામાં આવી

 

શક્તિ ભકિત અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે

આજે દશેરા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે સાંજે ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ હસ્તે માન સરોવરમાં સમી પૂજા કરવામાં આવી હતી.

આજે સાંજે અંબાજી મંદિર થી ઢોલ શરણાઈ સાથે અંબાજી મંદિર ના અધિકારીઓ, પૂજારીઓ અને ભટ્ટજી મહારાજ સાથે સુરક્ષા કર્મીઓ માન સરોવરમાં આવ્યા હતા અને સમીના વૃક્ષ નીચે બેસીને શાસ્ત્રોકત વિધિ વિધાનથી સમી પૂજા કરવામાં આવી હતી

ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરનાં શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવી હતી.

દર વર્ષે આદી અનાદી કાળથી આ પરંપરા ચાલી આવી રહી છે અને આજે અંબાજી મંદિર પાસે આવેલાં માન સરોવરમાં સમી પૂજા કરાઈ હતી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *