Latest

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થયને પ્રોત્સાહન આપવા,

આત્મવિશ્વાસ વધારવા અને સશકત બનાવવા તથા મહિલાઓને તેઓની જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયી બનાવવા હેતુથી “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગોધરાના ડૉ. ગીધવાણી રોડ સ્થિત સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન (મંજુબા ધર્મશાળાની પાછળ, સ્ટેશન રોડ, ગોધરા) ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહયાં હતાં.

આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ ગોધરાના CDHO ડૉ.મોનાબેન પંડ્યા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાન, સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર સોનલબેન દરજી, ડિસ્ટિક કોર્ડીનેટર સોનલબેન પરીખ, સોશિયલ મીડિયા ડિસ્ટિક કોર્ડીનેટર શ્યામલ પરીખ, પંચમહાલ જીલ્લાના યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને ઉત્તરસિંધી પંચાયત વુમન વિંગની બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *