Latest

સોમવારે પડાણા ગામે વાછરા દાદાનો વાર્ષિક ઉત્સવ, હવન, લોક ડાયરા સહિતના ભવ્ય આયોજનો થશે.

જામનગર : જામનગરના પડાણા ખાતે આવેલા વીર વાછરા દાદા ના સાનિધ્યમાં વાર્ષિક ઉત્સવ અને સમૂહ પહેરીનું આગામી તારીખ 24 એપ્રિલ 2023 ના રોજ સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9:00 વાગ્યે વાછરા દાદા નો વરઘોડો નીકળશે અને આ તકે મંદિરેથી પડાણા ગામને દૂધની ધારાવાહી દ્વારા પ્રદિક્ષણા કરી મંદિરે પરત ફરવામાં આવશે.

આ દરમિયાન વાછરા દાદા ની ધજા નો ઉત્સવ, 10 વાગ્યે વાછરા દાદા નો પંચકૂડી હવન અને આ હવનમાં બીડું હોમવા માટે બપોરે 12:30 થી 1:00 વાગ્યા દરમિયાનનો સમય રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાછરા દાદા ના વાર્ષિક ઉત્સવ નિમિત્તે પડાણાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 9:00 કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર બ્રિજરાજદાન ગઢવી, હકાભાઇ ગઢવી, શૈલેષ મહારાજ, દેવેન ઓડેદરા, દિલીપદાન ગઢવી અને કવિતાબેન ઝાલા સહિતના કલાકારો સાજીંદાઓ સાથે ભજન સંતવાણી ની રમઝટ બોલાવશે જેનો ભાવિકોને લાભ લેવા જાહેર આમંત્રણ દ્વારા શ્રી વછરાજ યુવક મંડળ તથા સમસ્ત પડાણાના ગ્રામજનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *