Latest

પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમા નવીન રસ્તાઓનું ખાત મુહુર્ત કરવામા આવ્યું

એબીએનએસ, ગોધરા પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મિરપ, દહિકોટ, અને તળાવ મુવાડા જેવા વિવિધ ગામોમા નવીન રસ્તાઓનું ખાત મુહુર્ત કરવામા આવ્યું. જેમા સૌ પ્રથમ મિરપ ગામ ખાતે (૧) મિરપ જૂની પી.એચ.સી મુખ્ય રોડથી માળી ફળીયા, સીમાડા ફળીયા અને તળાવની પાળ માતા સુધીનો રસ્તો લંબાઈ ૧.૭ કી.મી રકમ ૧૩૦ લાખ (૨) મિરપ થી દહિકોટ રોડ જેની લંબાઈ ૪.૬૦ કી.મી રકમ ૧૮૫ લાખ ના ખર્ચે બનનાર રસ્તાનું ખાત મુહૂર્ત કર્યું હતું.

અને ત્યારબાદ દહિકોટ ગામ ખાતે દહિકોટ ડુંગર ફળીયા થી મુખ્ય પ્રાથમિક શાળા તરફ થઈને પાનમ નદી સુધીના રસ્તાની લંબાઈ ૨.૧૦ કી.મી અને રકમ 80.50 લાખ ના ખર્ચે બનનાર રસ્તાનું ખાત મુહુર્ત કર્યું હતું.

અને સાથે તળાવ મુવાડા ગામ ખાતે લુહાર ફળીયા રસ્તાની લંબાઈ ૨ કી.મી જેની રકમ ૭૫ લાખના ખર્ચે બનનાર રસ્તાનું પણ ખાત મુહૂર્ત કરવામા આવ્યું હતુ.

આ પ્રસંગે ૧૨૫- મોરવા હડફ વિધાનસભાના ધારસભ્ય નિમિશાબેન એમ સુથાર, પંચમહાલ જિલ્લા પ્રમુખ રેણુકાબેન એસ ડાયરા, તાલુકા સભ્ય મનીષાબેન વી પટેલ, દહિકોટ ગ્રામ પંચાયતના સરપંચ કાશીબેન એમ પટેલ તથા પૂર્વ સરપંચ મગનભાઈ એસ પટેલ, તળાવ મુવાડા ગ્રામ પંચાયત ના સરપંચ કંચનબેન તડવી તેમજ કાર્યકર્તાઓ જેસિંગભાઈ ડી ડાયરા, સુભાષભાઈ જે ડાયરા, રમેશભાઈ બી પટેલ, મહેશભાઈ તળાવ મુવાડા તથા ગ્રામ જનો ઊપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *