Latest

ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા “સમૂહ સર્વપિતૃ તર્પણ” નો કાર્યક્રમ યોજાયો

શ્રી પરશુરામ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી ગૌમાતાના સાનિધ્યમાં “સમૂહ સર્વપિતૃ તર્પણ”નું ભરૂચ પાંજરાપોળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

સનાતન હિંદુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામા આવ્યું છે.દેવઋણ , ઋષિઋણ તથા પિતૃઋણ, જેમાં પિતૃઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે શ્રાદ્ધપક્ષમાં ગૌદાન મહિમા સવિશેષ છે. પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે,

પિતૃતર્પણએ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે, સર્વપિતૃના સંતુષ્ટિ માટે ગૌ માતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી * સમૂહ સર્વ પિતૃતર્પણ” નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય તરીકે કિરણભાઈ જોશીએ સેવા આપી હતી.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ બિપિન ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રમુખ કૃણાલ દવે, પાંજરાપોળના ટ્રસ્ટી એડવોકેટ અને નોટરી મહેન્દ્રભાઈ કંસારા, બ્રહ્મઅગ્રણી જ્યેન્દ્ર ભટ્ટ, ગૌપૂજારી કૌશિક જોશી, મીનાબેન જોશી સહિતના સભ્યોની ઉપસ્થિતિ રહ્યા હતા.

 

અહેવાલ ભાવેશ મુલાણી ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *