Latest

પરશુરામ મહાદેવ જન્મજ્યંતી, યાત્રાધામ અંબાજી મા પરશુરામ મહાદેવ ની પ્રતિમા પર ફૂલ હાર ચઢાવી પૂજા કરાઈ, મોટીસંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સાથે પાલનપુરના ધારાસભ્ય હાજર રહ્યા

આજે પરશુરામ મહાદેવ ની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં પરશુરામ મહાદેવ ની જન્મજયંતિ નિમિત્તે ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી પરશુરામ મહાદેવ ને જન્મ જ્યંતી ની ઉજવણી હલ્લો ઉલ્લાસ થી મનાવી રહ્યા છે.

ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા પરશુરામ મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી ધૂમધામ થી પરશુરામ મહાદેવ જન્મજયંતી નિમિતે ઉજવણી કરવામાં આવી હતી.

આજે શક્તિપીઠ અંબાજી માં આવેલા સિટી સેન્ટર આગળ પરશુરામ મહાદેવ ની પ્રતિમા ની સાફ સફાઈ કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજે પરશુરામ મહાદેવ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સાથે ગ્રામજનો દ્વારા પરશુરામ મહાદેવ મંદિર પર ફૂલ હાર ચઢાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હાજર રહ્યા હતા .ધારાસભ્ય અનિકેત ઠાકરે પરશુરામ મહાદેવ ની પ્રતિમાં પર ફૂલહાર ચઢાવી દીપ જલાવી પરશુરામ મહાદેવ ની જન્મ જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં લોકોએ પરશુરામ મહાદેવને નમન કરી હર હર મહાદેવ ના જયઘોષ કર્યા હતા. પરશુરામ મહાદેવ જન્મજયંતી નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં પણ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 621

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *