Latest

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા તેમને વિધિવત રીતે સન્માન આપી વિદાય આપવામાં આવી હતી. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિધિબત રીતે નમ્ર આંખોથી સંજય શ્રીવાસ્તવ વિદાઈ કરવામાં આવી.

સંજય શ્રીવાસ્તવનો અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે. સંજય શ્રીવાસ્તવ 2003થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ તેઓ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે.

જ્યારે અમદાવાદમાં પણ ઝોન – 1 – 2 – 3 અને 5 માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેમના વિદાય સમયે શહેરના એસીપી, ડીસીપી, પીઆઇ પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનેર પણ આપવામાં આવ્યું હતું. અત્રે યાદ રહે કે હાલ સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ ગુજરાત 2005ની બેચના આઇપીએસ પ્રેમવીરસિંહને આપવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 595

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *