Latest

ગોંડલ તાલુકા ના ચરખડી ગામે યોજાયો રવિ કૃષિ મેળો

ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન.ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના કૃષિમંત્રી માન.રાઘવજીભાઈ પટેલ રાજ્યક્ક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ ૨૪-૨૫ નવેમ્બર-૨૩ એમ બે દિવસીય તાલુકા કક્ષાએ રવી કૃષિ મહોત્સવનું આયોજન થયેલું છે

એમાં તારીખ ૨૫-૧૧-૨૦૨૩ ના દિવસે પ્રદર્શન સ્ટોલની મુલાકાત અને પ્રાકૃતિક કૃષીના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવેલ હતી જેમાં મોડલ ફાર્મમાં રાજેશભાઈ ધીરુભાઈ સખીયાની વાડીએ બહોળી સંખ્યામાં મુલાકાત લીધી હતી જેમાં કૃષિ વૈજ્ઞાનિક એમ.કે.ઘેલાણી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આપવામાં આવેલ,

ઘનશ્યામભાઈ કાતરિયા દ્વારા બાગાયત ખેત પેદાશોના મૂલ્ય વર્ધન વિશે માહિતગાર કરવામાં આવેલ અને વિસ્તરણ અધિકારી ખેતી હર્ષદભાઈ ઇટાલિયા દ્વારા પ્રાકૃતિક મોડેલ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ નિલેશભાઈ સાકરીયા,ગ્રામસેવક,આત્માના સ્ટાફના નેતૃત્વમાં આ કૃષિ મહોત્સવમા તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈને કૃષિલક્ષી માહિતી-મર્ગ્દર્શન મેળવે અને સરકારનો આ કાર્યક્રમ સફળ થાય તેવુ આયોજન કરાયુ

તાલુકાભરના ગામડા થી ૨૦૦ જેટલા ખેડૂતો અને ૩૬ જેટલા પ્રાકૃતિક ખેત પેદાશના અલગ અલગ સ્ટોલ સાથે નવીન ટેક્નોલોજી સભર ખેત ઓજારની વિશાળ રેન્જ સાથે આજના આ કાર્યક્રમને સફળ બનવવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને પેદાશોથી માહિતગાર કરવામાં આવ્યા…

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *