Latest

અંબાજી ટાઉનમાંથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપવા અંગેનું પ્રસિદ્ધ કરાયું જાહેરનામું

અંબાજી, રાકેશ શર્મા: આગામી તા.૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર દરમ્યાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા નિમિતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને ભાવિક ભકતો અંબાજી મુકામે આવતા હોય છે. તથા સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે. આ સમય દરમ્યાન ભાવિક ભકતોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં આ મેળા દરમ્યાન સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંબાજી ટાઉનમાંથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપવા વાહનોની અવર -જવર જણાવેલ રસ્તેથી કરવા શ્રી વરુણ કુમાર બરનવાલ, આઈ.એ..સ., જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુર ગુજરાત દ્વારા પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩(૧) ખંડ (ખ) અન્વયે મળેલ સતાની રુએ હુકમ ફરમાવવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજસ્થાન આબુરોડ તરફથી વાયા અંબાજી થઇ હિંમતનગર થઇ અમદાવાદ જતા તમામ વાહનો આબુરોડ, સ્વરૂપગંજ રોહીડા, માંડવા, હડાદ, પોશીના ત્રણ રસ્તા થઇ હિંમતનગર થઇ અમદાવાદ તરફ જવાનું રહેશે. તેવી જ રીતે અમદાવાદ થઇ હિંમતનગર થઇ અબાજી થઇ આબુરોડ રજસ્થાન તરફ જતા વાહનોએ અમદાવાદ થઇ હિંમતનગર થઇ પોશીના, હડાદ, માંડવા, રોહીડા, સ્વરૂપ ગંજ થઇ આબુરોડ તરફ જવાનું રહેશે. પાલનપુર થઇ દાંતા થઇ અંબાજી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જતા વાહનોએ પાલનપુર થઇ દાંતા થઇ રસનાલી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જવાનું રહેશે. તેવી જ રીતે હિમતનગર- હડાદ- અંબાજી- દાંતા તરફ આવતા વાહનોએ હિમતનગર- હડાદ – સનાલી – દાંતા તરફ જવાનું રહેશે. પાલનપુર કે આબુરોડ થઇ બાલારામ થઇ વિરમપુર થઇ ગબ્બર થઇ અંબાજી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જતા વાહનોએ પાલનપુર થઇ દાંતા થઇ હિંમતનગર તરફ જવાનું રહેશે. તેવી જ રીતે હિંમતનગર– હડાદ–અંબાજી– ગબ્બર – વિરમપુર– બાલારામ-પાલનપુર તરફ જતા વાહનોએ હિંમતનગર-હડાદ-દાંતા- પાલનપુર– આબુરોડ તરફ જવાનુ રહેશે.
આ હુકમ તા.ર૩ સપ્ટેમ્બર થી તા.૨૯ સપ્ટેમ્બર (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. સદરહુ પ્રતિબંધ નો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ 131 હેઠળ સજાને પાત્ર થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *