Latest

સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગના કામને કારણે આ ટ્રેનો પ્રભાવિત થશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્સનમાં સાબરમતી (રાણીપ બાજુ), સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો 1. 01.12.2024 ના રોજ 09459 અમદાવાદ – વિરમગામ મેમુ રદ રહેશે. 2. 01.12.2024 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે. 3. 01.12.2024 અને 02.12.2024 ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો 1. 01.12.2024 અને 02.12.2024ના રોજ ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2. 01.12.2024ના રોજ ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો

1. 01.12.2024 ના રોજ, ટ્રેન નં. 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને ચાલશે. આ ટ્રેન ચાંદલોડિયા પર નહીં જાય.

2. 01.12.2024 ના રોજ ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ – શહિદ કેપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા વિરમગામ-ચાંદલોડિયા-ગાંધીનગર કેપિટલ-મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને ચાલશે.આ ટ્રેન આંબલી રોડ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને નહીં જાય.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *