Latest

જામનગર સખી વન સ્ટોપ સેન્ટરે નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેનને સુરક્ષિત આશ્રય અપાવ્યું

જામનગર: એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ મહિલા માટે જામનગરનું સખી વન સ્ટોપ સેન્ટર સુરક્ષિત આશ્રયસ્થાન અપાવી મદદરૂપ બન્યું છે.વિગત મુજબ એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેન જામનગરના એસ.ટી. રોડ પરથી એક જાગૃત નાગરિકને મળી આવેલ.

બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જાગૃત નાગરિક દ્વારા બહેનને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરને જાણ કરેલ. અને જાણવા મળેલ કે આશરે ૪૪ વર્ષના બહેન ઘણા સમયથી ફૂટપાથ પર એકલા રહી રખડતું-ભટકતું જીવન જીવી રહ્યા છે. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા કાઉન્સેલીંગ કરતા બહેને જણાવેલ કે બહેનને સંતાનમાં ચાર બાળકો છે જે બહેનને સાથે રાખતા ન હોય અને બહેનના ઘણા સમય પહેલા છૂટાછેડા થઇ ગયેલ છે.

ત્યારબાદ બહેનને સેન્ટર દ્વારા સાનુકુળ વાતાવરણ આપવામાં આવેલ. તેમજ સેન્ટર દ્વારા આપવામાં આવતી સહાયો વિશે પરિચિત કરી રખડતું-ભટકતું જીવન જીવવું યોગ્ય નથી તે બાબતની સમજ આપેલ.સેન્ટર દ્વારા બહેનને વિશ્વાસ અપાવેલ કે બહેનને રેહવાની વ્યવસ્થા કરી આપશું.

ત્યાર બાદ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા વિવિધ મનોરોગી સંસ્થાઓનો સંપર્ક કરેલ જેમાં જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામે આવેલ શ્રી દેવંગી આશ્રમ, નકલંગ ધામે તૈયારી દર્શાવવતા બહેનને કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા અને કેસ વર્કર અસ્મિતાબેન સાદીયા દ્વારા જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામ ખાતે આવેલ શ્રી દેવંગી આશ્રમ, નકલંગ ધામ ખાતે આશ્રય અપાવેલ.આશ્રયસ્થાનની વ્યવસ્થા બદલ બહેને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યકત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *