Latest

શાળાના નામકરણ અને લોકાર્પણ સમારોહમાં હાજર રહી શાળાના દાતશ્રીઓને અભિનંદન પાઠવતા રાજ્યના શિક્ષણમંત્રી

બનાસકાંઠા: વડગામ તાલુકાના વરણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર અને માન. સહકાર રાજ્ય મંત્રી જગદીશ પંચાલજ સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માતૃશ્રી લક્ષ્મીબેન રામચંદ્રભાઈ પંચાલ પ્રાથમિક શાળાનું રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા નામકરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું.

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય હેતુ આ ગામમાં શિક્ષણરૂપી યજ્ઞ શરૂ કરનાર શાળાના દાતાશ્રી વિરેન્દ્રભાઈ પંચાલ તથા આ શાળામાં રૂ. 51 લાખનું માતબર દાન કરનાર દાતાશ્રીના પરિવારજનોનું સન્માન કરી રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને દિશા આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે રાજ્યના બાળકોને આધુનિક ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીની સરકારે શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર વર્ગખંડોનું નિર્માણ કરાવ્યું છે. જેનાથી શિક્ષિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે આપણા બાળકોને સારુ શિક્ષણ અપાવી દેશની વિકાસયાત્રાને આગળ વધારવા પ્રફુલ પાનશેરીયા દ્વારા આહવાહન કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *