Latest

ભારત-પાકિસ્તાન બોર્ડર પર શરદપુનમની રાત્રે જમ્યો ગરબાનો રંગ સરહદની સુરક્ષામાં સદાય વ્યસ્ત જવાનો ગરબા રમ્યા

નડાબેટ, સંજીવ રાજપૂત: નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનો અનેરો મહિમા… ગુજરાતના સૌથી લાંબા ઉત્સવ તરીકે ઓળખાતા નવરાત્રીમાં લોકો માતાજીની આરાધનાની સાથે સાથે ગરબે રમવાનો આનંદ લે છે,

ત્યારે ભારત પાકિસ્તાનની સીમા પર નડાબેટ ખાતે શરદપૂર્ણિમાએ યોજાયેલા ગરબામાં બી.એસ.એફના જવાનો પણ રંગે ચંગે ગરબામાં સહભાગી થયા હતા.

અમદાવાદ સ્થિત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાએ નડાબેટ ખાતે બીએસએફના જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. સરહદી સુરક્ષામાં સદાય વ્યસ્ત રહેતા જવાનો માટે આ ગરબાનું આયોજન એ ઘર આંગણે માતાજીનાની આરાધનાનું પર્વ પુરવાર થયું હતું…

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, ‘અમારું ટ્રસ્ટ સામાન્ય રીતે સરહદ પર બીએસએફના જવાનો ના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ કરતું આવ્યું છે. આ ઉપરાંત આ જવાનોને તેમની ફરજમાં સહૂલિયત રહે તે માટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.

છેલ્લા પાંચેક વર્ષથી સરહદના જવાનો પણ નવરાત્રીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાય છે. શરદ પૂર્ણિમાએ નડાબેટ બોર્ડર પર જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં અનેક જવાનો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા એમ તેમણે ઉમેર્યું હતું..’ શરદપૂર્ણિમાની રાત્રે નડાબેટ ખાતે ગરાબનું આયોજન કરવામાં આવતા સીમા પર દેશની સુરક્ષા કરતા BSF ના જવાનો સાથે લોકોએ રમી આનંદ માણ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *