Latest

શિવજીનુ અપમાન કરનાર હરિધામ સોખડાનાં સાધુ સોગંદનામુ કરીને માફી માંગે : ઓમકારાનંદબાપુ

 

આનંદસાગર સામે સાધુ-સંતો લાલઘુમ : ટીંબી હનુમાનજી જગ્યા મંહત ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં ફરિયાદ આપી

તાજેતરમાં હરિધામ સોખડાના સાધુ આનંદ સાગર અમેરિકા ધર્મયાત્રાએ પ્રબોધસ્‍વામી સાથે ગયેલ અને ગત ૨૬ ઓગષ્‍ટના શિબીરમાં વાણી વિલાસ કર્યો તેની સામે સાધુ સંતો લાલઘુમ થઇ અને આનંદસાગરને સોગંદનામુ કરી માફ માંગવા માંગ કરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ આનંદ સાગરએ અમેરિકામાં ધર્મયાત્રાએ પ્રબોધસ્‍વામી સાથે ગયા હતા. દરમ્‍યાન તેમણે પ્રબોધસ્‍વામીનો મહિમા વધારવા મહાદેવનું અપમાન કરતુ ભાષણ કરેલ જેનો ચારે બાજુ વિરોધ થઇ રહ્યો છે.

સાધુ સંતો પણ આકરા પાણીએ આવ્‍યા છે. આનંદસાગરે ભાષણમાં જણાવેલ કે આત્‍મીય વિદ્યાધામની ધરતી પર રહેલા નિશીત નામના સત્‍સંગી યુવાનને પ્રબોધસ્‍વામીએ કહ્યુ હતુ કે આત્‍મીય વિદ્યાધામના ગેટ પાસેના સાધુની આજ્ઞા માની નિશીત ગેટ પાસે પહોંચ્‍યો હતો જયાં-જયાં બંધ ગેટની બહાર શિવજી ઉભા હતા.

પિકચરમાં જોઇએ છે એમ શિવજીની જટા હતી ગળામાં નાગ વિંટેલ અને રૂદ્રાક્ષ પહેલા હતા. હાથમાં ત્રિશુલ પણ હતુ અને શિવજીને જોઇ નિશીતે પ્રાર્થના કરી કે આપ અહી સુધી આવ્‍યા છો તો અંદર પધારો અને પ્રબોધસ્‍વામીના પણ આપને દર્શન થાય ત્‍યારે શિવજીએ કહ્યુ કે પ્રબોધસ્‍વામીના મને દર્શન થાય એવા મારા પુણ્‍ય જાગૃત નથી થયા પણ તમારા દર્શન થઇ ગયા

એ અહોભાગ્‍ય છે એમ કહી શિવજી નિશીતના ચરણર્સ્‍પશ કરીને જતા રહ્યા આજા ગપગોળા હંકારતા વાણી વિલાસની વિડીયો કલીપ વાઇરલ થતા તેના ઉગ્ર પડઘા પડયા છે ત્‍યારે ઉમરાળા ટીંબી હનુમાનજી જગ્યા મંહત ઓમકારાનંદબાપુએ આનંદસાગર એ કરેલ વાણી વિલાસને વખોડી કાઢી અને આ અંગે સોગંદનામુ કરી અને માફી માંગે તેવી ઉગ્ર માગ કરી છે ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં લેખિત આપી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *