Latest

શોભયડા કમ્પા માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 70 વર્ષે પાકો રોડ મંજુર થાય બાદ ખાદ્યમુહરત ધારાસભ્ય દ્વારા શુભારંભ કરાયો અને કેટલાય મહિના થી કામ બંધ કરાતા ગ્રામજનોએ રામધૂન કરી વિરોધ કર્યો

સરકાર ને બદનામ કરવા અધિકારીઓ ની અવળચંડાઇ ?ભિલોડા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ ભ્રષ્ટાચાર માં અવ્વલ વર્ષો થી રોડ મજૂર થયા પણ એક વર્ષ પણ પૂર્ણ નહિ થયું અને સડકો તૂટી ગઈ વિજિલન્સ તાપસ નિષ્પક્ષ થાય એ જરૂરી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ શોભયડા કંપા તરફ જવાનો રોડ 70 વર્ષ બાદ મંજૂર થતાં કંપાના લોકો આનંદિત બની ચૂક્યા હતા પરંતુ અધિકારીઓની આપખુદ શાહીના કારણે રોડનું કામ અટકી પડતા કંપાના સ્થાનિકોએ રોડ વિના અગવડતા ભોગવવી પડી રહી છે ત્યારે કંપાના સ્થાનિકોએ આજે રોડ પર આવી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો.જોકે હજુ પણ રોડનું કામ શરૂ નહીં થાહ તો આગામી સમયમાં ભૂખ હડતાળ યોજાવાની પણ કંપાના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી.

રાજ્ય સરકાર દ્વારા ના છેવાડાના ગામડાઓ સુધી રોડ રસ્તા પાકા કરવાનો નીર્ધાર છે ત્યારે રાજ્યસરકાર એ દિશામાં કામો પણ કરી રહી છે જોકે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શોભયડા કંપાના પિક અપ સ્ટેન્ડ થી ગામ સુધીનો સવા કિલોમીટર જેયલો રોડ વર્ષોથી બન્યો નહોતો ત્યાતે ગ્રામજનો ની અનેક રજુઆત બાદ રાજ્ય સરકાર દ્વારા 33 લાખ રૂપિયા મંજુર કર્યા હતા બાદમાં રોડનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું હતું અંદાજીત સાતસો ફૂટ જેટલું માટી કામ પણ કરી દેવામાં આવ્યું હતું

પરંતુ કોઈ કારણ સર અધિકારીઓ દ્વારા રોડનું કામ અટકાવી દેવતા ગ્રામજનો દ્વારા રોડ પર આવી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો જોકે હજુ પણ અધિકારીઓ દ્વારા કામ શકરું નહીં કરાય તો આગામી સમયમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે ભૂખ હડતાળ કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *